
ભરણપોષણના હુકમનો અમલ
જેની તરફેણમાં ભરણપોષણ અથવા વચગાળાના ભરણપોષણ અને કાયૅવાહીનો ખચૅ યથાપ્રસંગ જે હોય તેનો હુકમ કરવામાં આવે તે વ્યકિતને અથવા તેનો વાલી હોય તો તેને અથવા જેને ભરણપોષણની અથવા વચગાળાના ભરણપોષણની અને કાયૅવાહીનો ખચૅ યથાપ્રસંગ જે હોય તેની રકમ આપવાની હોય તે વ્યકીતને તે હુકમની નકલ વિના મુલ્યે આપવી જોઇશે અને પક્ષકારો તે જ છે અને ભરણપોષણની અથવા યથાપ્રસંગ ખચૅની લેણી રકમ ચુકવાઇ નથી તેની મેજિસ્ટ્રેટને ખાતરી થતાં જેની વિરૂધ્ધ તે હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત જયાં હોય ત્યાં તે કોઇપણ સ્થળે તે હુકમનો તે મેજિસ્ટ્રેટ અમલ કરી શકશે.
Copyright©2023 - HelpLaw